Friday, March 09, 2012

Amrut Mahotsav - 2

બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ 

અમને સત્સંગનો યોગ તો થયો, પણ માયાના આવરણો છે જેમના તેમ
આપનો યોગ થયો એ પ્રાપ્તિ તો બહુ મોટી થઇ છે
પણ શ્રેયના માર્ગમાં પ્રેયના વિઘ્નો આવતા જ રહે છે જેમના તેમ
બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ 

આત્મા ને તો સત્સંગ અતિશય રૂડો લાગે છે
પણ... 'સ્વામીની વાતો' માં લખ્યું છે તેમ
મનને તો ઘરનો ઉંબરો ઓળંગવો પડે તે જ લાગે છે કરોડો જોજનની જેમ
અને તનને? ધર્મગ્રંથો ખુલતા જ ઊંઘ ચડે છે, ભગતજી મહારાજની પોથી ખુલતી તેમ
બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ 

હજુ પણ મન શોધે છે, બીજાના દોષો - પહેલાની જેમ
મનની ચંચળતા તો એવી છે જાણે દારૂ પીધેલ વાંદરાની જેમ
આરતી, અષ્ટક બોલવામાં, માત્ર જીભ જ હાલે છે, યંત્રની જેમ
બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ 


HDH Pramukh Swami Maharaj Amrut Mahotsav - part 2 of 3
To be Continue...

1 comment:

Anonymous said...

uncle..its v touching..really compelling all BAPSian to do antardrshti...!jsn.vatsal chhaya